4 જો તારો ભાઈ દિવસમાં હાત વાર પાપ કરે, અને હરેક વખતે તારી પાહે આવીને કેય કે, હું પસ્તાણો છું, તો તુ એને માફ કર.”
પણ જો ઈ નો હાંભળે તો, મુસાની વ્યવસ્થા મુજબ, એક બે માણસને તારી હારે લે, ઈ હાટુ કે, હરેક વાત બે કા ત્રણ સાક્ષીના મોઢાથી સાબિત થાય.
ઈ પરમાણે જો તમે પોતપોતાના સાથી વિશ્વાસી ભાઈના પાપો તમારા હ્રદયથી માફ નય કરો, તો મારો પરમેશ્વર બાપ જે સ્વર્ગમાં છે ઈ પણ તમારી હારે એવુ જ કરશે.
પણ હું તમને આ કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખવો અને જેઓ તમને હેરાન કરે છે, તેઓની હાટુ પ્રાર્થના કરો.
જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો.
ગમાડેલા ચેલાઓએ પરભુને કીધુ કે, “અમારા વિશ્વાસને હજી મજબુત કરો!”
પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો એને ખવડાય; જો તરસો હોય, તો એને પાણી પિવરાય; કેમ કે, આવું કરવાથી તુ એના માથા ઉપર હળગતા દેતવાનો ઢગલો કરય.