20 એક દિવસ કેટલાક ફરોશી ટોળાના લોકોએ ઈસુને પુછયું કે, “પરમેશ્વરનું રાજ્ય ક્યારે આયશે?” તઈ ઈસુએ જવાબ આપ્યો કે, પરમેશ્વરનું રાજ્ય કાય એવુ નથી કે, જેને તમે એક ઘટના રીતે જોય હકો છો.
નિયમ જે પરમેશ્વરે મુસાને આપ્યુ અને જે આગમભાખીયાઓએ લખ્યું હતું ઈ યોહાન જળદીક્ષા આપનારના આવ્યા હુધી પોકારવામાં આવ્યું હતું. તઈ જેમ કે, મે તમને પરચાર કરયો હતો કે, પરમેશ્વર જલ્દી પોતે રાજાની જેવો દેખાહે. ઘણાય લોકો ઈ સંદેશાને અપનાવે છે અને પરમેશ્વરને વારેઘડીએ તેઓના જીવનમાં રાજ કરવા હાટુ કેય છે.
જઈ તેઓ આ વાતુ હાંભળતા હતાં, તઈ ઈસુએ એક દાખલો કીધો કેમ કે, તેઓ યરુશાલેમની પાહે પુગ્યા હતાં, અને તેઓ એમ વિસારતા હતાં કે, પરમેશ્વરનું રાજ્ય હમણા જ પરગટ થાહે.
ઈસુએ જવાબ દીધો કે, “મારું રાજ્ય આ જગતનું નથી, જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા સેવક બાંધતા કે, હું યહુદી લોકોના આગેવાનો દ્વારા પકડાવવામાં આવત, પણ મારું રાજ્ય આયનું નથી.”