મોટા દીકરાએ એના બાપને કીધુ કે, મે ઘણાય વરહ હુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે, મે સદાય તારી આજ્ઞાનું પાલન કરયુ છે, પણ તે કોય દિવસ મારી હાટુ કાય પણ હારુ નથી કરયું, જેથી હું મારા ભાઈ-બંધ હારે જમણવાર કરૂ.
પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
ઘરે આવીને ઈ પોતાના મિત્રો અને એના પાડોશીઓને બોલાવે છે, અને તેઓને કેય છે કે, મારી હારે આનંદ કરો, કારણ કે, “મને મારા ઘેટામાનું ખોવાયેલું ઘેટુ પાસુ જડી ગયુ છે.”
તમે વિસારો કે, એક બાય પાહે દસ ચાંદીના સિકકા હોય, પણ તેઓમાંનું એક ખોવાય જાય; તઈ ઈ દીવો હળગતો લયને ઘર સાફ કરશે, અને જ્યાં હુંધી એને ઈ સિક્કો જડી નો જાય, ન્યા હુંધી એને હારી રીતે ગોતશે.
ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”