31 પણ બાપે એને કીધુ કે, “મારા છોકરા, તુ સદાય મારી હારે છે; અને મારી પાહે જે છે ઈ બધુય તારું જ છે.
પણ તારા આ છોકરાએ વેશ્યાઓ હારે તારા બધાય રૂપીયા વેડફી દીધા, ઈ ઘરે આવે છે, તઈ તે એની હાટુ એક વાછડો લીયાવીને એનુ જમણવાર તૈયાર કરયુ છે.
પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
પણ ચાકર સદાય ઘરે નથી રેતો, પણ દીકરો સદાય ઘરે રેય છે.
ઈ હાટુ હું પુછુ છું, શું પરમેશ્વરે પોતાના લોકોને નકારી દીધા? નય! કોયદી નય! હું હોતન ઈઝરાયલ દેશનો છું, ઈબ્રાહિમનો વંશ અને બિન્યામીનના કુળમાંથી છું
કા કોયે પેલા પરમેશ્વરને કાય આપ્યુ, કે, ઈ એને બદલામાં પાછુ આપવામાં આવે?
તેઓ ઈઝરાયલ દેશના લોકો છે, અને ખોળે લીધેલા બાળક, મહિમા, કરાર, શાસ્ત્રદાન, ભજનભાવ અને પરમેશ્વરનાં વચનો એના જ છે.