21 દીકરાએ કીધું કે, હે બાપ મે પરમેશ્વર અને તારી વિરુધ પાપ કરયુ છે, હવે હું તારો દીકરો કેવાને લાયક રયો નથી.
પછી ઈ દીકરો, ઈ દેશ છોડીને એના બાપ પાહે જાવા હાટુ હાલતો થયો, જઈ ઈ દીકરો હજી ઘણોય આઘો હતો, તઈ એના બાપે એને આવતો જોયો, એને એના દીકારા ઉપર દયા આવી, અને જેથી ઈ એના દીકરા પાહે ધોડીને ગયો એને બથ ભરી લીધી અને એને સુંબન કરયુ.
પણ બાપે ચાકરોને કીધું કે, જલ્દીથી હારામાં હારા લુગડા કાઢીને એને પેરાવો, અને એને આંગળીમાં હારી લાગે એવી વીટી અને પગમાં જોડા હારા લાગે ઈ પેરાવો,
શું તુ પરમેશ્વરની દયા, સહનશીલતા અને ધીરજની મુડીને નકામી ગણ છો? અને શું આ નથી હમજતો કે, પરમેશ્વરની દયા તને તારા પાપોથી પસ્તાવો કરવાનું શીખવાડે છે?
ભાઈઓ અને બહેનો, તમે તમારા બીજા વિશ્વાસી ભાઈને પાપ કરવા હાટુ પ્રોત્સાહિત કરો છો, જેને ઈ જાણે છે કે, આ ખોટુ છે તો તમે મસીહની વિરુધ પાપ કરો છો.