Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 15:10 - કોલી નવો કરાર

10 હું તમને કવ છું કે; “ઈ જ રીતે જઈ પાપી માણસ પાપોથી પસ્તાવો કરે છે, તઈ સ્વર્ગદૂતો પરમેશ્વરની હામે રાજી થાય છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 15:10
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો કોય મને માણસોની હામે કબુલ કરશે, ઈ મારો ચેલો છે, તો એને હું પણ મારા સ્વર્ગીય બાપની આગળ ચેલા તરીકે કબુલ કરય.


સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


ઈ જ પરમાણે તમારા સ્વર્ગમાંના પરમેશ્વર બાપ આ નાનાઓમાંથી એક પણ ખોવાય જાય એવું ઈચ્છતા નથી.


હું તમને કવ છું કે, જો કોય મને માણસોની હામે સ્વીકાર કરશે, ઈ મારો ચેલો છે, એને હું માણસનો દીકરો પણ પરમેશ્વરનાં સ્વર્ગદુતોની હામે તેઓનો સ્વીકાર કરય.


પણ જે કોય લોકોની હામે મારો નકાર કરશે, તો એને માણસનો દીકરો પણ પરમેશ્વરનાં સ્વર્ગદુતોની હામે નકાર કરશે.


તેઓ નોતા! પણ હું તમને કવ છું કે, જો તમે તમારા પાપોથી પસ્તાવો નય કરો, તો તમારા બધાયનો પણ ઈજ રીતે નાશ થાહે.”


ફરી ઈસુએ એક બીજો દાખલો દીધો કે, કોય એક માણસને બે દીકરા હતા.


હું તમને કવ છું કે, ઈજ પરમાણે નવ્વાણું ન્યાયીઓ જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે છે, એની લીધે સ્વર્ગમા આનંદ થાહે.


અને જઈ એને ખોવાયેલો સિક્કો મળે છે, તઈ ઈ એની બેનપણીઓ અને પાડોશીને ભેગી કરીને કેહે કે, મારી હારે આનંદ કરો, કારણ કે, મને મારો ખોવાયેલો સિક્કો જડી ગયો છે.


“ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.”


આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”


પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે,


કેમ કે, જો કોય માણસ પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થાય છે, તો ઈ પસ્તાવો કરે છે અને તારણ પામે છે, આ દુખની વાતો નથી, પણ જગતના લોકોનું દુખ અનંત મોતની બાજુ લય જાય છે.


લગભગ આ જ કારણ હતું કે, પરમેશ્વરે ઓનેસિમસને થોડાક વખત હાટુ તારી પાહેથી આઘો ભાગી જાવાની છૂટ આપી; જેથી ઈ મસીહ ઉપર વિશ્વાસ કરી હકે, અને તુ એને કાયમ હાટુ પોતાની પાહે રાખી હક.


તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ