18 પણ બધાય મેમાનોએ કીધુ કે, અમે નય આવીને બધા બાનું કાઢવા લાગ્યા એકે કીધુ કે, “મે ખેતર વેસાતી લીધું છે, જેથી મારે ન્યા જાવું પડશે; જેથી મને માફ કર.”
જઈ ખાવાનો વખત થયો તઈ એણે એના ચાકરને મોકલીને કીધું કે, “કૃપા કરીને હાલો! હવે આવો હમણાં બધુ તૈયાર છે”
બીજા માણસે કીધું કે, “મે પાંસ જોડ બળદ લીધા છે, તો મારે એને જોવા છે કે, ઈ કેમ હાલે છે કે, નય જેથી હું તને વિનવણી કરું છું કે, તુ મને માફ કર.”
તઈ ઈસુએ એની બાજુ જોયને કીધું કે, “રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું બોવજ અઘરું છે!
જે કાંટાવાળા જાળામાં પડેલા છે, ઈ એવા બી છે કે, જેઓએ વચન હાંભળ્યું, પણ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા અને સુખશાંતિમાં ફસાય જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
ઈ પોતાના લોકોની પાહે આવ્યો, પણ પોતાના લોકોએ એનો નકાર કરયો.
તો પણ તમે મારી પાહે નથી આવવા માગતા જેથી તમને અનંતજીવન મળે.
તો પણ દેહ ઉપર ભરોસો રાખવાનું મારી પાહે કારણ છે; જો બીજો કોય એવુ ધારે કે, એને દેહ ઉપર ભરોસો રાખવાનું કારણ છે, તો મને એના કરતાં વધારે છે.
કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.
તેઓ હાસી વાતો હાંભળશે નય, પણ ગયઢીયાની બનાવેલી વાતુ તરફ ધ્યાન આપશે,
કોય છીનાળવા કે એસાવની જેવો અશુદ્ધ નો થાય. એકવાર ખાવા હાટુ એસાવે મોટા ભાઈ તરીકે પોતાના અધિકારો વેસી દીધા.