ઈ વખતે કેટલાય લોકોએ ઈસુને ગાલીલ જિલ્લાના લોકો વિષે કીધું જેઓની સિપાયોએ યરુશાલેમમાં હત્યા કરી નાખી હતી. રોમના રાજા પિલાતે જઈ તેઓ મંદિરમાં બલિદાન કરતાં હતાં, તઈ એને મારી નાખવા હાટુ સિપાયોને હુકમ દીધો હતો.
જઈ ન્યા રેનારાઓએ એરૂને એના હાથમાં વીટાળેલો જોયો, તો એકબીજાને કેવા મંડયા કે, “હાસીન આ માણસ હત્યારો છે, દરિયામાંથી તો બસાવ થય ગયો, તો પણ આપડી દેવીના ન્યાયે એને જીવતો રેવા દીધો નય.”