કાગડાઓ ઉપર ધ્યાન દયો; તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી, તો પણ પરમેશ્વર તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં પણ વધારે મુલ્યવાન છો.
ફૂલોને જોવ કે, તેઓ કેવા વધે છે; તેઓ નથી કામ કરતાં, અને નથી તેઓ મેનત કરતાં; તો પણ હું તમને કવ છું કે, સુલેમાન રાજા પણ પોતાની બધીય માલ-મિલકત, ગૌરવ અને હણગારેલા લુગડા પેરેલો ઈ ફૂલોમાના એક જેવો પણ નોતો.