47 તમારી હાટુ કેટલા અફસોસની વાત છે! કેમ કે, તમે આગમભાખીયાઓની કબરો બાંધો છો, પણ તમારા બાપદાદાઓએ જેણે તેઓને મારી નાખ્યા હતા.
ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, તમે ધોળી કબર જેવા છો, જે બારેથી રૂપાળી દેખાય છે હારી, પણ અંદર મરેલાના હાડકા અને બધોય ખરાબો ભરેલો છે.
હવે તમે બધાય લોકોને બતાવો છો કે, ઈ તમારા બાપદાદાઓએ જે કીધું એની હારે સહમત છો, તેઓએ આગમભાખીયાઓને મારી નાખ્યા છે, અને તમે આગમભાખીયાઓ હાટુ કબરો બાંધો છો?
ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.
ઈ યહુદીઓએ પરભુ ઈસુ અને આગમભાખીયાઓને પણ મારી નાખ્યા અને અમને સતાવ્યા, અને પરમેશ્વર તેઓથી રાજી નથી, અને તેઓ બધાય લોકોનો વિરોધ કરે છે.