એણે જવાબ દીધો કે, “તારા પરભુ પરમેશ્વર ઉપર પુરા હૃદયથી અને પુરા જીવથી અને તારા પુરા સામર્થ્યથી અને તારા પુરા મનથી પ્રેમ રાખ; જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.”
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.