12 હું તમને કવ છું કે, જઈ પરમેશ્વર બધાયનો ન્યાય કરશે, તઈ ઘણાય વખત પેલા ભુંડા લોકો જેઓ તુર અને સદોમ શહેરમાં રેતા હતાં, તેઓની કરતાં ઈ શહેરના લોકોને વધારે સજા થાહે.
હું તમને હાસુ કવ છું કે, ન્યાયના દિવસે ઈ શહેરની દશા સદોમ અને ગમોરા શહેરથી વધારે ભુંડી હશે.
વળી હું તમને કવ છું કે, ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સદોમ શહેરને જે સજા દેહે, એની કરતાં તમારી સજા વધારે હશે.
“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”