તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.
પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.