સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.
જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.