અને સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “તને સલામ કેમ કે, પરભુ તારી હારે છે અને જય તારી ઉપર થાય, પરમેશ્વરે તારી ઉપર ઘણીય કૃપા કરી છે! પરભુ તારી હારે છે.”
જઈ પિતર પોતાના મનમા વિસાર કરી રયો હતો કે, આ સંદર્શન જે મે જોયું છે; શું હશે? તઈ ઈ માણસ જેને કર્નેલ્યસે મોકલ્યા હતાં એને સિમોનના ઘરનું રેઠાણ પુછતા કમાડ આગળ ઉભા રય ગયા.
તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.