Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 9:39 - કોલી નવો કરાર

39 તઈ ઈસુએ કીધું કે, “હું આ જગતનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળા લોકો જોય હકે, અને જે જોય છે, ઈ આંધળા થય જાહે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 9:39
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.


તેઓને જાવા દયો; ઈ આંધળા મારગ દેખાડનારા છે, અને જો આંધળો આંધળાને દોરી હકતો નથી, જો ઈ દોરે તો બેય ખાડામાં પડશે.


ઈ હાટુ જો તમે ભુલથી આ વિસારો કે, તમારું આખુય દેહ અજવાળામાં છે, પણ ખરેખર આ અંધારૂ છે, તો તમારી અંદરનું અંધારૂ ખરેખર બોવ કાળુ છે.


ઈ જે લોકો મોતની બીકમાં અને આત્મિક અંધારામાં રેય છે, તેઓની ઉપર અંજવાળું કરશે. ઈ આપણને દોરશે જેથી આપડે શાંતિથી રેહુ.


આ વાત જાણી લો, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.


શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે.


“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,


ઈ જ વેળાએ ઈસુએ ઘણાય પરકારના ગંભીર રોગથી અને દુખાવાથી પીડાતા અને મેલી આત્માઓથી ઘણાયને હાજા કરયા, અને એણે આંધળા લોકોને હોતન હાજા કરયા, જેથી ઈ જોય હકે.


હવે આ જગતના લોકોનો ન્યાય કરવાનો વખત આવી ગયો છે, અને હવે આ જગતના અધિકારને બારે કાઢી નાખવામાં આયશે.


હું જગતમાં અજવાળાની જેમ આવ્યો છું, જેથી જે કોય મારી ઉપર વિશ્વાસ કરે ઈ અંધારામાં નય રેય.


કેમ કે, પરમેશ્વરે પોતાના દીકરાને જગતમાં ઈ હાટુ નથી મોકલો કે, જગતના લોકોને સજા આપે, પણ ઈ હાટુ મોકલો કે, જગતના લોકો એની દ્વારા તારણ પામે.


અને સજાની આજ્ઞાનું કારણ આ છે કે, અંજવાળું જગતમાં આવ્યું છે, પણ લોકોએ અંજવાળા કરતાં અધારાને વધારે ગમાડયુ કેમ કે, તેઓનું કામ ખરાબ હતું.


તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”


તમે કોય માણસનો નજરથી ન્યાય કરો છો, પણ હું કોયનો ન્યાય કરતો નથી.


એણે જવાબ દીધો કે, “હું નથી જાણતો કે, ઈ માણસ પાપી છે કે નય, પણ હું એટલું જાણું કે, પેલા હું આંધળો હતો અને હવે જોવ છું”


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


મરણ પામેલાઓ હારું અમે મરણની દુર્ગંધની જેમ અને જીવતાઓની હારું જીવનની દુર્ગંધની જેમ છયી તો આવા કામો હાટુ કોય પણ લાયક નથી.


ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.


અને ઈ બધાય પરકારના ખરાબ કામો કરીને આ બધાય લોકોને દગો આપશે, જે સદાયને હાટુ વિનાશ થાવાના છે કેમ કે, તેઓએ ઈ હાસાય ઉપર વિશ્વાસ નથી કરયો જે એનો બસાવ કરી હકતો હતો.


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


પણ જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ અંધારામાં જીવી રયો છે અને હાલી રયો છે, અને ઈ નથી જાણતો કે, ક્યા જાય છે કેમ કે, અંધારાએ એને આંધળો કરી દીધો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ