ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે અને બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું યર્મિયા આગમભાખીયો છે કા આગમભાખનારામાંથી કોય એક છે.”
તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.
જઈ ન્યા રેનારાઓએ એરૂને એના હાથમાં વીટાળેલો જોયો, તો એકબીજાને કેવા મંડયા કે, “હાસીન આ માણસ હત્યારો છે, દરિયામાંથી તો બસાવ થય ગયો, તો પણ આપડી દેવીના ન્યાયે એને જીવતો રેવા દીધો નય.”