Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 7:39 - કોલી નવો કરાર

39 પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 7:39
42 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે અને બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું યર્મિયા આગમભાખીયો છે કા આગમભાખનારામાંથી કોય એક છે.”


તઈ લોકોએ કીધુ કે, “આ તો ઈસુ આગમભાખીયો જે ગાલીલ પરદેશના નાઝરેથ ગામનો છે.”


અને હું પોતે જ પવિત્ર આત્મા તમારી ઉપર મોકલીશ, જે વાયદો મારા બાપે કરયો છે, પણ તમારે ન્યા હુધી શહેરમાં રાહ જોવી પડશે કે, જ્યાં હુધી તમને સ્વર્ગમાંથી સામર્થ નય આપવામાં આવે.”


તઈ યોહાનને બધાયને જવાબ આપતા કીધું કે, “હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”


જેથી યહુદીઓએ યોહાનને પુછયું કે, “તો પછી તુ કોણ છે? શું તુ એલિયા છે?” એણે કીધું કે, “હું નથી.” તેઓએ કીધું “શું તુ આગમભાખીયો છે?” યોહાને જવાબ આપ્યો કે, “નય.”


તેઓએ યોહાનને પુછું કે, જઈ તુ કેય છે કે, તુ તો મસીહ, એલિયા કે આગમભાખીયો નથી, તો પછી તુ જળદીક્ષા કેમ આપે છે?


મે એને ઓળખ્યા નોતા; પણ જેઓએ મને પાણીથી જળદીક્ષા આપવા મોકલ્યો, એણે જ મને કીધું હતું કે, જેની ઉપર તુ આત્માને ઉતરતા અને રેતા જોહે, ઈ જ પવિત્ર આત્માથી જળદીક્ષા આપનાર છે.


ઈસુના ચેલાઓ ઈ વાતો પેલા તો હમજા નય, પણ જઈ ઈસુની મહિમા પરગટ થય, તઈ તેઓને યાદ આવ્યું કે, જે કાય એની હારે થયુ; આ એવો જ હતો જેમ શાસ્ત્રમા કીધું હતું.


પણ આ હાંભળીને ઈસુએ ફિલિપ અને આંદ્રિયાને જવાબ દીધો કે, “ઈ વખત આવી ગયો છે કે, માણસના દીકરાની મહિમા પરગટ થાહે.


અને જે કાય મારા નામથી માંગશો, ઈજ હું કરય, જેનાથી મારી દ્વારા પરમેશ્વરની મહિમા પરગટ થાય.


પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.


ઈ મારી મહિમા કરશે કેમ કે, એને મારી તરફથી જે મળેલું છે, ઈ તમને કય બતાયશે.


તો પણ હું તમને હાસુ કવ છું કે, મારું જાવાનું તમારી હાટુ હારું છે કેમ કે, જો હું નો જાવ, તો ઈ મદદગાર તમારી પાહે નય આવે, પણ જો હું જાવ, તો એને તમારી પાહે મોકલી દેય.


ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.


હે બાપ, તારી હાજરીમાં મારી મહિમા પરગટ કરો, ઈ જ મહિમાવાન જે જગતના ઉત્પન થયા પેલા, મારે તારી હારે હતી.


ઈ ક્યને એણે તેઓની ઉપર શ્વાસ ફૂકીને કીધું કે, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.


ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.


અને લોકોમા એના વિષે બોવ ઘુસપુસ વાતુ થય, કેટલાક લોકો કેતા હતાં કે, “ઈ હારો માણસ છે,” અને થોડાક માણસ કેતા હતા કે, “નય, ઈ લોકોને ભરમાવે છે.”


ઈસુએ જવાબ દીધો કે, “જો હું પોતે મારા વખાણ કરું, તો મારા વખાણનો કોય મતલબ નથી, પણ જે મારા વખાણ કરે છે, ઈ મારો બાપ છે, અને તમે એને કયો છો કે, ઈ આપડો પરમેશ્વર છે.”


અને એણે એને કીધું કે, “શું તમે વિશ્વાસ કરતી વખતે પવિત્ર આત્મા પામ્યો?” તેઓએ એને કીધું કે, “અમે તો પવિત્ર આત્માની ચર્ચા પણ નથી હાંભળી.”


પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”


હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.


પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.


તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.


આપડા વડવાઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના પરમેશ્વરે પોતાના સેવક ઈસુની મહિમા કરી, જેને તમે મારી નાખવા હાટુ પકડાવી દીધો, અને પિલાતે એને મુકી દેવાનો ફેસલો કરયો, તઈ તમે એની હામે ઈસુનો નકાર કરયો.


જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.


પણ જઈ પરમેશ્વરનો આત્મા તમારામા રેય છે, તો તમે પાપીલા સ્વભાવના કાબુમાં નથી, પણ આત્માના કાબુમાં છો, પણ જો કોયનામાં મસીહનો આત્મા નથી તો ઈ મસીહનો નથી.


તો પછી જે આત્માની સેવા કરાવે છે એની મહિમા તો એનાથી પણ મહાન હોય.


પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ