15 તઈ યહુદી લોકોના આગેવાનોને નવાય લાગી, અને કેવા લાગ્યા કે, આ માણસ કોયદી ભણો નથી છતાય શાસ્ત્રનું જ્ઞાન એને ક્યાંથી મળ્યું?
અને પોતાના દેશમાં આવીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તેઓને એવુ શિક્ષણ આપવા લાગ્યો; કે તેઓ સોકી ગયા અને બોલ્યા કે, “આ માણસની પાહે આવું જ્ઞાન અને આવા સમત્કારી કામ કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું છે?
અને ઈ હાંભળીને તેઓ વિસારમાં પડયા અને પછી એને મુકીને તેઓ નીકળી ગયા.
તઈ લોકો આ હાંભળીને એના શિક્ષણથી સોકી ગયા.
અને જેટલા લોકોએ ઈસુથી હાંભળ્યું, ઈ બધાય એની બુદ્ધિ અને જવાબોથી નવાય પામ્યા.
પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે”
યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”
ઈસુના વિરોધી યહુદી લોકોના આગેવાનો હતાં તેઓ એણે તેવારમા ગોતતા હતાં, અને ઈ ક્યા છે ઈ વિષે તેઓ પૂછપરછ કરતાં હતા.
તો પણ યહુદી લોકોના આગેવાની બીકને કારણે, કોય પણ માણસ એના વિષે ખુલીને વાત નોતો કરતો.
સિપાયોએ જવાબ દીધો કે, “આ માણસની જેમ કોય દિવસ કોય નથી બોલું.”
જઈ એવી રીતે પાઉલ જવાબ દય રયો હોય, તઈ ફેસ્તસ રાજ્યપાલે જોરથી રાડ નાખીને કીધું કે, “હે પાઉલ, તુ ગાંડો છો, વધારે ભણવાથી તુ ગાંડો થય ગયો છો.”
જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો.