4 કેમ કે, કોય-કોય વખતે પરભુનો સ્વર્ગદુત કુંડમાં ઉતરીને ઈ પાણીને હલાવા કરતો હતો, પાણી હલતા જે માણસ બધાયની પેલા કુંડમાં ઉતરતો હતો, ઈ હાજો થય જાતો હતો. ભલે એને ગમે એવો રોગ કેમ નો હોય.
અને જ્યારથી યોહાન જળદીક્ષા આપનારે પરચાર કરવાનું શરુ કરયુ, ઈ વખતથી તે હજી લગી સ્વર્ગના રાજ્યમાં બળજબરી વધી રય છે, અને બળજબરી કરનારાઓ એની ઉપર હુમલો કરીને લય લેહે.
નિયમ જે પરમેશ્વરે મુસાને આપ્યુ અને જે આગમભાખીયાઓએ લખ્યું હતું ઈ યોહાન જળદીક્ષા આપનારના આવ્યા હુધી પોકારવામાં આવ્યું હતું. તઈ જેમ કે, મે તમને પરચાર કરયો હતો કે, પરમેશ્વર જલ્દી પોતે રાજાની જેવો દેખાહે. ઘણાય લોકો ઈ સંદેશાને અપનાવે છે અને પરમેશ્વરને વારેઘડીએ તેઓના જીવનમાં રાજ કરવા હાટુ કેય છે.
તઈ ઈ માંદા માણસે એને જવાબ દીધો કે, “પરભુ, મારી પાહે કોય માણસ નથી કે, જઈ પાણી હલાવવામાં આવે છે, જેથી ઈ મને કુંડમાં ઉતરવા હાટુ મદદ કરે, અને જઈ હું કુંડમાં ઉતરવાની કોશિશ કરું છું, તઈ હરેક વખતે મારી પેલા બીજો કોય માણસ કુંડમાં ઉતરી જાય છે.”
પણ જો અમે ઈજ કરી જે ભલું છે જેમ કે, પરમેશ્વર પુરી રીતે ભલો છે. તો આપડે એકબીજાની હારે ભાગીદારી રાખે છે, અને એના દીકરા ઈસુનું લોહી અમને બધાય પાપોથી શુદ્ધ કરે છે.