ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,
જઈ ઈસુ ગાલીલ જિલ્લામાં પૂગ્યો, તો ન્યા લોકોએ એનો આવકાર કરયો, કેમ કે ઈસુએ પાસ્ખા તેવારના દિવસોમાં યરુશાલેમ શહેરમાં જે કાય કામ કરયુ હતું, ઈ બધાય લોકોએ જોયુ હતું કેમ કે, તેઓ પણ તેવારમાં ગયા હતા.
જઈ એણે આ હાંભળ્યું કે, ઈસુ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં આવી ગયો છે, તો ઈ એની પાહે આવ્યો, અને વિનવણી કરવા લાગ્યો કે, આવીને મારા દીકરાને હાજો કરી દેય કેમ કે, ઈ મરવાની અણી ઉપર છે.