52 એણે ચાકરોને પુછયું કે, “ઈ ક્યા વખતથી હાજો થાવા લાગ્યો?” તેઓએ એને કીધું કે, “કાલે બપોરના એક વાગે એનો તાવ ઉતરી ગયો.”
પછી ઈસુએ એને ધમકાવીને અને મેલી આત્મા એનામાંથી નીકળી અને દીકરો ઈ જ વખતે હારો થય ગયો.
પછી ઈસુએ ઈ જમાદારને કીધુ કે, “ઘરે જા, જેવો તે વિશ્વાસ કરયો છે, એવુ જ તારી હારે થાહે.” ને ઈ જ ઘડીયે એનો સેવક હાજો થયો.
જઈ ઈ હાલ્યો જાતો હતો, તઈ મારગમાં એના ચાકરોએ ઈ ખબર લયને હામાં મળ્યા, અને કેવા લાગ્યા કે, “તારો દીકરો જીવતો છે.”
તઈ ઈ દીકરાના બાપને યાદ આવ્યું કે, આ ઈજ વખતે થયુ હતું, જે વખતે ઈસુએ એને કીધું હતું કે, “તારો દીકરો જીવતો રેહે.” અને એણે પુરા પરીવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો.