6 જો કોય માણસમાંથી જનમ લીધો હોય તો ઈ માણસ માણસની જાત છે. પણ જે કોય પરમેશ્વરની આત્માના કામો દ્વારા જનમ થાય તો પોતાના બાળકોને જીવન આપે છે. તો પણ ફક્ત પરમેશ્વરનો આત્મા તમને પરમેશ્વરનાં બાળકોની જેમ બદલી હકે છે.
કેમ કે, હું જાણુ છું કે, મારામાં એટલે કે મારો પાપીલો માનવીય સ્વભાવમાં કોય પણ હારી વસ્તુ રેતી નથી, હારા કામો કરવા હાટુ ઈચ્છા તો મારામાં છે પણ એને કરવુ મારાથી થય નથી હકતું.
કેમ કે, જઈ આપડે આપડા પાપી સ્વભાવના કાબુમાં હતાં, તો નિયમશાસ્ત્ર દ્વારા જાગેલી પાપીલી ઈચ્છાઓ આપડા દેહમાં કામ કરી રય હતી ઈ મોતનુ ફળ લીયાવવા હાટુ આપડી અંદર કામ કરતી હતી.
અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.
જો કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનું જીવન તેઓમાં બનેલુ રેય છે, અને ઈ વારંવાર પાપ કરી નથી હકતો કેમ કે, ઈ પરમેશ્વરનો સંતાન છે.