હાંજ પડી, તઈ એના ચેલાઓ એની પાહે આવીને કીધુ કે, આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને હવે વખત થય ગયો છે, ઈ હાટુ લોકોને વિદાય કર, જેથી તેઓ ગામમાં જાયને પોતાની હાટુ ખાવાનું વેસાતું લાવે.
રૂપીયાની લાલસ નો કરો, પણ જે તમારી પાહે છે, એનાથી જ સંતોષ રાખો, કેમ કે પરમેશ્વર પોતે કેય છે કે, “હું તને કોયદી મુકી દેય નય, અને કોયદી તારો ત્યાગ કરય નય.”
હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.