Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 21:15 - કોલી નવો કરાર

15 સીરામણ ખાધા પછી ઈસુએ સિમોન પિતરને પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ હાસીન મને આ બધાય કરતાં વધારે પ્રેમ કરે છે?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ તો જાણે છે કે, હું તને પ્રેમ કરું છું” ઈસુએ એને કીધું કે, “જે મારા લોકોને હંભાળ જેમ એક ભરવાડ પોતાના ઘેટાના બસાને પાળ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 21:15
49 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી.


ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”


સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


તઈ આ વાત ઉપર પિતરે એને જવાબ દીધો કે, “જો બધાય તને છોડી દેહે અને ભાગી જાહે, પણ હું નય ભાગું.”


પિતરે એને કીધુ કે, “જો તારી હારે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નય કરું.” અને બધાય ચેલાઓએ એમ જ કીધુ.


પિતરે એને કીધુ કે, “જો બધાય છોડી દેય અને ભાગી જાહે, પણ હું નય ભાગું.”


તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


મે પ્રાર્થના કરી કે, તુ તારો વિશ્વાસ ગુમાવતો નય, જઈ તમે મારી પાહે આવો તઈ તમારા ભાઈઓને વધારે મજબુત થાવામાં મદદ કરજો.


આંદ્રિયા સિમોનને ઈસુની પાહે લય આવ્યો; ઈસુએ એને જોયને કીધું કે, “તુ યોહાનનો દીકરો સિમોન છે, તુ કેફા એટલે પિતર કા મજબુત પાણો કેવાય.”


પિતરે કીધુ કે, “પરભુ, હું આઘડી તારી વાહે કેમ નથી આવી હકતો? હું તારી હાટુ પોતાનો જીવ પણ આપી દેય.”


કેમ કે, બાપ પોતે તમને પ્રેમ કરે છે. ઈ હાટુ કે તમે મને પ્રેમ કરયો છે, અને આ વિશ્વાસ પણ કરયો છે કે, હું પરમેશ્વર તરફથી છું


ઈસુએ તેઓને કીધું કે, “આવો અને સીરામણ કરો.” ચેલાઓમાંથી કોયની હિમંત નો થય કે, એને કાક પુછયું કે, “તુ કોણ છે?” કેમ કે, ઈ જાણી ગયા હતાં કે ઈ પરભુ જ છે.


ઈ હાટુ ઈ ચેલાને ઈસુ જેને વધારે પ્રેમ કરતો હતો, ઈ પિતરે કીધું કે, “આ તો પરભુ છે.” સિમોન પિતરે આ હાંભળ્યું કે, તેઓ પરભુ છે, ઈ ઘાયેઘા લુગડા પેરીને અને એને જાળ નાખવાનો વખત નીકળતો જાતો હતો, અને ઈસુને મળવા હાટુ ઉતાવળમાં દરિયામાં કુદકો મરયો.


ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.


તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.


હું જાણું છું કે મારા ગયા પછી ખોટા શિક્ષકો તમારી વસ્સે આયશે અને વિશ્વાસી લોકોને બોવ નુકશાન કરશે, ઈ ઘેટાને મારી નાખનારા ભયંકર વરુની બાજુથી હશે.


પણ જે કોય વિશ્વાસમા નબળો છે એની દલીલ વિષે ન્યાય કરયા વગર એને અપનાવો.


હવે નબળાઓની નબળાયને હલાવી લેવી અને પોતાની ખુશી પરમાણે નો કરવુ, ઈ આપડે મજબુતોની ફરજ છે.


જેમ તમે જાણો છો જે વિશ્વાસીનો વિશ્વાસ નબળો છે, તે ભાઈનો નાશ થાય, જેના હાટુ મસીહ મરયો.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.


જેઓ આપડા પરભુ ઈસુ મસીહ ઉપર કપટ વગરનો પ્રેમ રાખે છે તેઓ બધાય ઉપર કૃપા થાય. આમીન.


હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા,


પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.


જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.


હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.


અમે પરમેશ્વરને અને એક-બીજાને પ્રેમ કરી છયી, કારણ કે પેલા પરમેશ્વરે આપણને પ્રેમ કરયો.


ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ