ઈસુ જાણતો હતો કે, તેઓ આ વાતનો અરથ પુછવા માગે છે, તઈ એણે કીધું કે, “શું તમે મારી વાતોની વિષે અંદરો અંદર સરસા કરો કે, થોડીકવાર પછી તમે મને નય જોવ,” અને પછી થોડીક વારમાં મને જોહો?
સીરામણ ખાધા પછી ઈસુએ સિમોન પિતરને પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ હાસીન મને આ બધાય કરતાં વધારે પ્રેમ કરે છે?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ તો જાણે છે કે, હું તને પ્રેમ કરું છું” ઈસુએ એને કીધું કે, “જે મારા લોકોને હંભાળ જેમ એક ભરવાડ પોતાના ઘેટાના બસાને પાળ.”
ઈજ વખતે ઈસુના ચેલાઓ ન્યા આવ્યા, અને ઈસુ જે બાયની હારે વાત કરતાં ઈ જોયને નવાય લાગી, તો પણ કોય ચેલાઓએ પુછયું નય કે, “તમારે હેની જરૂર છે?” કા “તમે શું કામ ઈ બાયની હારે વાતો કરો છો?”