Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 20:19 - કોલી નવો કરાર

19 અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 20:19
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જો તે ઘર લાયક હોય, તો તમારી શાંતિ એની ઉપર આયશે, પણ જો ઈ લાયક નય હોય, તો તમારી શાંતિ તમારી ઉપર પાછી આયશે.


કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.


એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,


હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .


આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.


હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


ઈસુએ પાછુ તેઓને કીધું કે, તમને શાંતિ મળે, જેમ મને બાપે મોકલ્યો છે, એમ જ હું પણ તમને મોકલું છું


આઠ દિવસ પછી પાછા એના ચેલાઓ અંદર ઘરમાં હતાં, તો થોમા એની હારે હતો, જઈ બારણા બંધ હતાં, તઈ ઈસુ એની વસમાં આવીને કીધું કે, “તમને શાંતિ મળે.”


ઈ પછી તિબેરિયસ દરિયાની કાઠે પાછુ એકવાર ઈસુએ પોતાના ચેલાઓને જોવા મળ્યો, ઈ આ રીતે તેઓને જોવા મળ્યો.


આ ત્રીજીવાર થયુ કે, ઈસુ મરણમાંથી જીવતો થયા પછી પોતાના ચેલાઓને દર્શન દીધા.


તો પણ યહુદી લોકોના આગેવાની બીકને કારણે, કોય પણ માણસ એના વિષે ખુલીને વાત નોતો કરતો.


એને દુખ સહન અને મરણ પછી બોવ જ પાકા પુરાવા હારે પોતાની જાતને જીવતો બતાવ્યો, અને સ્યાલીસ દિવસ હુધી એને દરશન દેતો અને પરમેશ્વરનાં રાજ્યની વાતુ કરતો રયો.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, શાંતિ દેનાર તમારી બધાયની હારે રેય. આમીન.


પિતર અને પછી બારેય ચેલાઓને દર્શન દીધુ.


કેમ કે ઈ ઈસુ આપણી શાંતિ સમાધાન છે, એણે બેયને એક કરયા, અને આપણી વચ્ચેની આડી દીવાલ તોડી નાખી છે;


હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.


આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય.


અને ઈબ્રાહિમે એને આ દરેક વસ્તુઓનો દસમો ભાગ આપ્યો જે એણે યુદ્ધમાંથી મેળવું હતું. બધાયની પેલા “મેલ્ખીસેદેકના” નામનો અરથ છે “ન્યાયપણાનો રાજા” અને પછી “શાલેમનો રાજાનો અરથ છે શાંતિનો રાજા.”


પણ મારી આશા છે કે, તમને જલ્દી મળય તઈ આપડે મોઢામોઢ વાત કરશું.


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ