1 અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે મગદલા શહેરની મરિયમ કબર પાહે ગય જ્યાં ઈસુનું દેહ હતું ન્યા અંધારું હતું મરિયમે જોયુ કે, કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવેલો હતો.
ઈ હાટુ ત્રણ દિવસ હુંધી સિપાયને કબરની દેખરેખ રાખવાની આજ્ઞા આપવામાં આવે, કદાસ એવું નો થાય કે, એના ચેલાઓ આવીને એના મડદાને સોરી જાય, અને માણસો એમ કેય કે, મરેલામાંથી ઈ જીવતો થયો છે, તઈ છેલ્લો દગો પેલા દગા કરતાં મોટો થાહે.
તઈ તેઓ સોકીદારોને હારે લયને ઈસુની કબર પાહે ગયા અને કબરના પાણા ઉપર મહોર લગાડી, જેથી એને કોય હટાવે નય, ફરી તેઓ કેટલાક સોકીદારોને કબરનું ધ્યાન રાખવા હાટુ ન્યા મુકી ગયા.
એણે ઈસુની લાશને વધસ્થંભથી નીસે ઉતારી લીધી, અને એને મોઘા મખમલના ખાપણમાં વીટાળી લીધી અને ઈ લાશને એક ડાટવાની ગુફામાં રાખી દીધી, જે પાણાને કોતરીને બનાવામાં આવી હતી. પછી એણે એક મોટો ગોળ આકારનો પાણો ગબડાવ્યો અને એને કબરવાળી ગુફામાં અંદરના દરવાજાને બંધ કરવા હાટુ રાખી દીધો.
અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.