મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.
કેમ કે, ખાલી લોકોને ખાવા, પીવાના વિષે અને બીજા શુદ્ધિકરણની વિષે દેખાડે છે જેના દ્વારા લોકો બારેથી સાફ થય જાય છે, આ વિધીઓને ન્યા હુધી માનવાનું હતું જ્યાં હુધી કે પરમેશ્વર પોતાનો નવો નિયમ લાગુ નો કરે.
જઈ મુસાએ પેલા બધાય લોકોની હામે નિયમની બધીય આજ્ઞાઓને વાંચીને હભળાવી, પછી એણે વાછડા અને બકરાનું લોહી અને પાણી લીધું, પછી એણે લાલ ઊન અને ઝુફા ઝાડની ડાળખ્યું દ્વારા શાસ્ત્રની સોપડી અને બધાય લોકો ઉપર છાટી દીધું.