Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:42 - કોલી નવો કરાર

42 યહુદી લોકોના પાસ્ખા તેવારની તૈયારીનો દિવસ હતો અને કબર પાહે હતી, અને એથી એણે ઈસુના દેહને ન્યા કબર પાહે મુકયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:42
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, જેવી રીતે આગમભાખીયો યુના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રયો એમ જ હું, માણસનો દીકરો હોતન ત્રણ દિવસ અને ત્રણ રાત કબરમાં રેય.


તો ઈ પાસ્ખા તેવાર અગાવ તૈયારીનો દિવસ હતો અને બપોર થાવા આવ્યો હતો, પિલાતે યહુદી લોકોને કીધું કે, “જોવ, આ તમારો રાજા!”


આ અપરાધનું લખાણ ઘણાય યહુદી લોકોએ વાસ્યું, કેમ કે આ જગ્યાએ ઈસુને વધસ્થંભે સડાવવામાં આવ્યો હતો, ઈ યરુશાલેમ શહેરની પાહે હતી, અને આ લખાણ ગ્રીક ભાષા, લેટીન ભાષા અને હિબ્રૂ ભાષામાં લખેલુ હતું.


તઈ ઈ તૈયારીનો દિવસ હતો, અને બીજો દિવસ વિશ્રામવારનો હતો અને પાકનો તેવારનો પણ દિવસ હતો. આ ખાસ દિવસ હતો એટલે ઈ નોતા ઈચ્છતા કે, તેઓના દેહ વધસ્થંભ ઉપર રયા. ઈ હાટુ યહુદી લોકોએ પિલાતને વિનવણી કરી કે, તેઓના પગને ભાગી નાખવામાં આવે, ઈ હાટુ કે એનુ મોત જલ્દી થય જાય, અને દેહને નીસે ઉતારી હકે.


જ્યાં ઈસુને વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યો હતો ન્યા એક વાડીમાં વાપરા વગરની કબર હતી, જેમાં હજી હુધી કોયના દેહને રાખવામાં આવ્યો નોતો.


જઈ તેઓએ ઈ બધુય કરયુ જે પવિત્ર શાસ્ત્રમા એના વિષે લખેલુ છે, તેઓએ ઈસુને વધસ્થંભ ઉપરથી ઉતારીને કબરમાં મુક્યો.


અને એને દાટી દીધો અને શાસ્ત્રના વચનો પરમાણે ત્રીજા દિવસે પરમેશ્વરે એને મરેલામાંથી જીવતો કરી દીધો.


કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ