ઈસુએ તેઓને કીધુ કે, “તમે નથી જાણતા કે, શું માગો છો? શું તમે સતાવણી સહન કરવા હાટુ તૈયાર છો કેમ કે, હું જલ્દી જ સતાવવામાં આવય? શું તમે મરવા હાટુ તૈયાર છો? કેમ કે મને જલ્દી જ મારી નાખવામાં આયશે”
પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.”
કેમ કે, લોકો જે પરમેશ્વરને નથી જાણતા તેઓ સદાય આ બધી વસ્તુઓની વિષે ઉપાદી કરે છે. પણ તમારો બાપ જે સ્વર્ગમાં છે ઈ જાણે છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.
હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે.
ઈસુએ જવાબ દીધો કે, “મારું રાજ્ય આ જગતનું નથી, જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા સેવક બાંધતા કે, હું યહુદી લોકોના આગેવાનો દ્વારા પકડાવવામાં આવત, પણ મારું રાજ્ય આયનું નથી.”
ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”
કેમ કે, હથિયારો આપડે ઉપયોગ કરયો ઈ જગતના નથી, પણ પરમેશ્વરનાં શક્તિશાળી હથિયારો છે, એનાથી આપડે કિલ્લાઓને પણ તોડી નાખી છયી. અને આપડે ખોટા વાદવિવાદો તોડી નાખી છયી.