32 જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.
જઈ તેઓ ડુંઘરા તરફ જાતા હતાં તઈ ઈસુએ તેઓને કીધું કે, “તમે બધાય મને છોડીને વયા જાહો કેમ કે, પવિત્રશાસ્ત્ર મારી વિષે જે કેય છે, ઈ હાસુ થાવુ જોયી. પવિત્રશાસ્ત્ર આ કેય છે કે, હું ઈ માણસને મારી નાખય જે મારા લોકોની સરાવનારાની જેમ દેખરેખ રાખે છે, અને તેઓ ઘેટાઓની જેમ વિખરાય જાહે.
તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
પણ એવી વેળા આવે છે અને અત્યારે આવી પણ ગય છે, જઈ હાસા ભજનકરનારા આત્માથી અને હાસાયથી બાપનું ભજન કરશે કેમ કે, પરમેશ્વર બાપ પોતાની હાટુ એવા ભજનકરનારાઓને ગોતે છે.
હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.