21 જઈ બાયને જણવાનો વખત આવે છે, તો એને બોવ પીડા થાય છે, કેમ કે એના દુખાવાનો વખત આવી ગયો છે, પણ ઈ બાળકને જનમ દીધા પછી પોતાના દુખાવાને ભુલી જાય છે કેમ કે, ઈ રાજી થાય છે કે, જગતમાં એક બાળકનો જનમ થયો છે.
જેમ શાસ્ત્રમાં લખ્યું છે, હે વાંઝણી બાય તું જેના કોયદી બાળકો નથી થયા અને જેઓએ બાળકોને પેદા કરતી વખતે જે પીડાનો કોયદી અનુભવ નથી કરયો, રાજી થાવ, રાડુ નાખ અને રાજીથી ઉત્સાહી થાવ! કેમ કે, જેને ધણી છે એની કરતાં મુકી દીધેલી બાયના બાળકો વધારે છે.
જઈ લોકો કહેતા હોય કે, અમે શાંતિથી જીવી છયી, અને બધુય હારું છે, તઈ જે રીતે ગર્ભવતી બાઈને અસાનક દુખાવો થાવા લાગે છે, તેવીજ રીતે તેઓ નાશ થાવા લાગશે, અને તેઓ ઈ મોટા દુખથી બસી નય હકે.