જેની પાહે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, ઈજ મારી ઉપર પ્રેમ રાખે છે; અને જે મારી ઉપર પ્રેમ રાખે છે એની ઉપર મારા બાપ પ્રેમ રાખે છે અને હું એની ઉપર પ્રેમ રાખય અને એની હામે હું પોતાને પરગટ કરય.”
તમે મને ઈ કેતા હાંભળ્યું કે, “હું જાવ છું અને પાછો તમારી પાહે આવય, જો તમે મને પ્રેમ કરતાં હોત, તો ઈ વાતથી રાજી હોત કે હું બાપની પાહે આવ્યો છું, કેમ કે બાપ મારા કરતાં મહાન છે.
અને શાસ્ત્રનુ આ વચન પરમાણે થયુ, “ઈબ્રાહિમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને એના વિશ્વાસના કારણે પરમેશ્વરે એણે એક ન્યાયી માણસના રૂપમા સ્વીકાર કરયો.” અને ઈ પરમેશ્વરનો મિત્ર કેવાણો.