Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 14:24 - કોલી નવો કરાર

24 જે મને પ્રેમ નથી કરતો ઈ મારા વચનોને નથી માનતો, અને જે વચનોને તમે હાંભળો છો, ઈ મારા નથી પણ બાપના છે, જેણે મને મોકલ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 14:24
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ ઈ જુવાનને કીધુ કે, “જો તું પુરૂ થાવા દે તો જયને તારૂ છે, ઈ ગરીબોને આપી દે જેથી સ્વર્ગમાં તને બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”


શું તુ ઈ વિશ્વાસ નથી કરતો કે, હું બાપમાં છું અને બાપ મારામાં છે?” ઈસુએ ચેલાઓને કીધું કે, મે જે સંદેશો તમને આપ્યો છે ઈ મારી પોતાના તરફથી નથી કેતો; પણ બાપ મારામાં રયને પોતાના કામો કરે છે.


જો તમે મને પ્રેમ કરો છો, તો મારી આજ્ઞાઓને માનશો.


ઈ વાતુ મે તમારી હારે રયને તમને કીધી છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, અમે જે જાણી છયી, ઈ કેયી છયી, અને જેને અમે જોયી છયી એની સાક્ષી આપીએ છયી, અને તુ અમારી સાક્ષીને માનતો નથી.


કેમ કે, જેને પરમેશ્વરે મોકલો છે, ઈ પરમેશ્વરનાં વચન બોલે છે, કેમ કે, પવિત્ર આત્મામાંથી પુરી રીતે આપે છે.


ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.


અને એના વચનો તમારા હ્રદયમાં સ્થિર નથી રેતો કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ નથી કરતાં, કે એને મને મોકલ્યો છે.


પછી ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, “જે હું શિક્ષણ દવ છું, ઈ મારી તરફથી નથી, પણ મને મોકલનારાની તરફથી છે.


તઈ ઈસુએ રોયને મંદિરમાં શિક્ષણ દેતા કીધું કે, હું કોણ છું, અને ક્યાંથી આવ્યો છું, ઈ પણ તમે હારી રીતે જાણો છો. હું મારી ઈચ્છા પરમાણે નથી આવ્યો, પણ મને મોકલનારો હાસો છે, એને તમે નથી જાણતા.


તમારો ફેસલો કરવા હાટુ, મારે તમારા વિષે ધણું બધુય કેવું છે, પણ મને મોકલનારો હાસો છે, અને જે કાય મે એનાથી હાંભળ્યું છે, ઈજ જગતના લોકોને કવ છું


તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું


હું ઈ જ કવ છું, જે મારા બાપ પાહે જોયું છે, ઈ હાટુ તમે પણ ઈજ કરો જે તમારા બાપ પાહે હાંભળ્યું છે.”


ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ