23 ઈસુએ એને જવાબ દીધો કે, જે કોય મને પ્રેમ કરે છે, તો ઈ મારા વચનોને માંને છે, અને મારો બાપ એને પ્રેમ કરે છે, અને આપડે એની પાહે જાહુ અને એની હારે રેહું.
કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.
જેની પાહે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, ઈજ મારી ઉપર પ્રેમ રાખે છે; અને જે મારી ઉપર પ્રેમ રાખે છે એની ઉપર મારા બાપ પ્રેમ રાખે છે અને હું એની ઉપર પ્રેમ રાખય અને એની હામે હું પોતાને પરગટ કરય.”
યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.
પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”
જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો તઈ હાસો સંદેશો તમે હાંભળ્યું, ઈ જ તમારામા બનેલો રેય, જો ઈ તમારામા બનીને રેય, તો તમે પણ દીકરામાં, અને પરમેશ્વર બાપમાં બનેલા રેહો.
ખરેખર પ્રેમ આ છે, જઈ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીને કામ કરી છયી. આ ઈ જ આજ્ઞા છે, જઈ મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ. ઈ જ વખતથી તમે હાંભળી છે ઈ પરમેશ્વરે આ આજ્ઞા આપી છે કે, તમારે સદાય એક-બીજાને પ્રેમ કરવો જોયી.
પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.