ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.
ખરેખર પ્રેમ આ છે, જઈ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીને કામ કરી છયી. આ ઈ જ આજ્ઞા છે, જઈ મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ. ઈ જ વખતથી તમે હાંભળી છે ઈ પરમેશ્વરે આ આજ્ઞા આપી છે કે, તમારે સદાય એક-બીજાને પ્રેમ કરવો જોયી.