Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 14:12 - કોલી નવો કરાર

12 હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ પણ આ કામ કરે જે હું કરું છું, અને એનાથી પણ મોટા કામો કરશે, કેમ કે હું બાપની પાહે જાવ છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 14:12
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે.


અને ઈ આઘેથી પાંદડાથી ભરેલું અંજીરનું ઝાડ જોયને એની પાહે ગયો કે, એમાંથી અંજીર મળી જાય પણ પાંદડાઓ સિવાય કાય નો મળ્યું કેમ કે, ફળની ઋતુ નોતી.


જે મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓ આ સમત્કાર કરવામા મકમ થાહે કે, તેઓ મારા નામથી મેલી આત્માઓને બારે કાઢશે, અને હું તેઓને નવી ભાષા બોલવામાં મકમ બનાવય.


તમે મને ઈ કેતા હાંભળ્યું કે, “હું જાવ છું અને પાછો તમારી પાહે આવય, જો તમે મને પ્રેમ કરતાં હોત, તો ઈ વાતથી રાજી હોત કે હું બાપની પાહે આવ્યો છું, કેમ કે બાપ મારા કરતાં મહાન છે.


તો પણ હું તમને હાસુ કવ છું કે, મારું જાવાનું તમારી હાટુ હારું છે કેમ કે, જો હું નો જાવ, તો ઈ મદદગાર તમારી પાહે નય આવે, પણ જો હું જાવ, તો એને તમારી પાહે મોકલી દેય.


કેમ કે, આયા ઈ કેવત હાસી પડી છે કે, “એક વાવે છે, અને બીજો લણે છે.”


કેમ કે બાપ દીકરા ઉપર પ્રેમ રાખે છે, અને ઈ જે કાય કામ કરી રયો છે, ઈ બધુય મને દેખાડે છે. અને એના કરતાં વધારે મહાન કામો ઈ મને દેખાહે, જેથી હું શું કરી હકુ ઈ જોયને તમે પણ નવાય પામી જાહો.


તઈ ઈસુએ કીધું કે, “હું, તમારી હારે થોડીકવાર છું, અને એની પછી જેણે મને મોકલ્યો છે, હું એની પાહે પાછો વયો જાય.


પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.


કેમ કે, તેઓએ ઈ લોકોને જુદી-જુદી ભાષામાં બોલતા અને પરમેશ્વરનાં મહિમા કરતાં હાંભળયા. તઈ પિતરે કીધું કે,


ઈ ઘણાય દિવસ હુધી આવુ જ કરતી રય. પણ પાઉલે અકળાયને અને પાછુ વળીને મેલી આત્માને કીધું કે, “હું તને ઈસુ મસીહના નામે આજ્ઞા આપું છું કે, એમાંથી નીકળી જા.” અને ઈ તરત છોકરીમાંથી નીકળી ગય.


ન્યા લગી કે રૂમાલ અને લુગડા એના શરીરની હારે અડાડીને, માંદા ઉપર નાખતા હતાં, અને બધાય લોકો હાજા થય જાતા હતાં, અને મેલી આત્મા એમાંથી નીકળી જાતી હતી.


હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.


જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.


“આપડે આ માણસની હારે શું કરી? કેમ કે યરુશાલેમ શહેરમાં રેનારા લોકોને ખબર છે કે, આની દ્વારા એક ખાસ સમત્કાર બતાવવામાં આવ્યો છે, અને આપડે એનો નકાર નો કરી હકી.


ગમાડેલા ચેલાઓ બોવ સામર્થથી પરભુ ઈસુને મરેલામાંથી જીવતા થાવાની સાક્ષી દેતા હતાં, અને ઈ બધાયની ઉપર પરમેશ્વરની કૃપા રેતી હતી.


પણ બોધ હાંભળનારા માંથી ઘણાયે ઈસુ ઉપર વિશ્વાસ કરયો અને વિશ્વાસ કરનારાની સખ્યામાં લગભગ પાચ હજાર પુરુષો હતા.


પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો.


પરમેશ્વરનાં વચનો ફેલાતા ગયા અને યરુશાલેમ શહેરમાં ચેલાઓની સંખ્યા વધતી ગય, અને બોવ યહુદી યાજકોએ પણ ઈસુ મસીહમાં વિશ્વાસ અને પરચારને અપનાવો.


કેમ કે જઈ ફિલિપે એને હુકમ દીધો, તઈ ઘણાય લોકોમાંથી મેલી આત્મા રાડો નાખી નાખીને નીકળી ગય, અને ઈ ઘણાય લોકો જે લકવા મરેલા હાજા થય ગયા, અને લંગડા પણ હાલવા મંડા .


પિતરે એને કીધું કે, “હે એનીયસ, તને ઈસુ મસીહ હાજો કરે છે, ઉઠ, અને તારો લબાસો ઉપાડ.” તઈ ઈ તરત ઉભો થય ગયો.


તઈ પિતરે બધાયને બારે કરી દીધા, અને ગોઠણયા ભરીને પ્રાર્થના કરી કે, એના દેહને જોયને કીધું કે, “હે તાબીથા ઉભી થા.” તઈ તાબીથાએ એની આંખુ ખોલી દીધી, અને પિતરને જોયને બેઠી થય.


એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ