તઈ જે યહુદી લોકો તેઓની હારે ઘરમાં હતાં અને એને દિલાસો આપતા હતાં, તેઓએ જોયું કે, મરિયમ ઉતાવળે ઉભી થયને બારે ગય, જોવ; ઈ કબર ઉપર રોવા જાય છે, એવુ વિસારીને તેઓ મરિયમની વાહે ગયા.
હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.”
જઈ યહુદી લોકોને ખબર પડી કે, ઈસુ ન્યા છે, તઈ લોકોનું મોટુ ટોળુ ભેગુ થય ગયું, ઈ ખાલી ઈસુને જ નય, પણ ઈ લાજરસને પણ જોવા હાટુ આવ્યા હતાં, જેણે એને મરણમાંથી જીવતો કરયો હતો.