Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 12:16 - કોલી નવો કરાર

16 ઈસુના ચેલાઓ ઈ વાતો પેલા તો હમજા નય, પણ જઈ ઈસુની મહિમા પરગટ થય, તઈ તેઓને યાદ આવ્યું કે, જે કાય એની હારે થયુ; આ એવો જ હતો જેમ શાસ્ત્રમા કીધું હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 12:16
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પરભુ ઈસુ ચેલાઓને આ બધીય વાતો કરી દીધી, તો પરમેશ્વરે એને સ્વર્ગમા લય લીધો અને ઈ પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ બેહી ગયો.


પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, અને તેઓ એને પૂછવાથી બીતા હતા.


પણ એમાંથી કોય તેઓને હમજાવામાં આવ્યું; નથી અને આ વાત તેઓથી ખાનગી રાખી, અને જે કેવામાં આવ્યું હતું ઈ તેઓ હમજા નય.


ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.


પછી ઈસુએ શાસ્ત્રમા જે એની વિષે લખેલુ છે ઈ તેઓને હમજાવા હાટુ મદદ કરી.


પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.


પણ આ હાંભળીને ઈસુએ ફિલિપ અને આંદ્રિયાને જવાબ દીધો કે, “ઈ વખત આવી ગયો છે કે, માણસના દીકરાની મહિમા પરગટ થાહે.


પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.


મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.


હે બાપ, તારી હાજરીમાં મારી મહિમા પરગટ કરો, ઈ જ મહિમાવાન જે જગતના ઉત્પન થયા પેલા, મારે તારી હારે હતી.


પછી ઈ મોતમાંથી ફરી જીવી ઉઠયો, તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, એને તેઓને ઈ કીધું હતું; અને તેઓએ શાસ્ત્રમા અને ઈસુએ જે કીધું હતું એની ઉપર વિશ્વાસ કરયો.


પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.


હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.


ઈ હાટુ ઈઝરાયલ દેશના બધાય લોકો પાકું જાણી લ્યો કે, પરમેશ્વરે ઈ ઈસુને, જેને તમે વધસ્થંભ ઉપર મારી નાખ્યો, પરભુ અને મસીહ પણ ઠેરાવ્યો.”


આપડા વડવાઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના પરમેશ્વરે પોતાના સેવક ઈસુની મહિમા કરી, જેને તમે મારી નાખવા હાટુ પકડાવી દીધો, અને પિલાતે એને મુકી દેવાનો ફેસલો કરયો, તઈ તમે એની હામે ઈસુનો નકાર કરયો.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ