જઈ ઈસુ યરુશાલેમ શહેરમાં પૂગ્યો, એની પછી, ઈ મંદિરમાં ગયો. એણે બધીય બાજુ દરેક વસ્તુને ધ્યાનથી જોયું અને પછી એને શહેર છોડી દીધુ કેમ કે, બપોર પેલા જ મોડું થય ગયુ હતું. પછી ઈ પોતાના બાર ચેલાઓની હારે બેથાનિયા ગામમાં જાવા હાટુ નીકળી ગયા.
તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”
જઈ યહુદી લોકોને ખબર પડી કે, ઈસુ ન્યા છે, તઈ લોકોનું મોટુ ટોળુ ભેગુ થય ગયું, ઈ ખાલી ઈસુને જ નય, પણ ઈ લાજરસને પણ જોવા હાટુ આવ્યા હતાં, જેણે એને મરણમાંથી જીવતો કરયો હતો.