ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”
હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસો પછી સાલું થાવાનો હતો. અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો આ વાતની તપાસમાં હતાં કે, ઈસુને કેવી રીતે દગાથી પકડીને મારી નાખવો.
હવે કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ વિષે ફરોશી ટોળાના લોકો બારે જયને તરત ગાલીલ જિલ્લાના હેરોદ રાજ્યપાલને માનવાવાળા યહુદી લોકોની હારે એની વિરુધ કાવતરૂ કરવા લાગ્યા.