આ માણસ જે ઈઝરાયલ દેશના લોકોનો મસીહ અને રાજા થાવાનો દાવો કરે છે, હવે વધસ્થંભ ઉપરથી ઉતરી આવે, એટલે આપડે જોયી અને એની ઉપર વિશ્વાસ કરી હકીએ કે, ઈ આપડો રાજા છે.” અને જે એની હારે વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યા હતાં, તેઓ પણ એની નિંદા કરતાં હતા.
અને ન્યા લોકો ઉભા રયને જોતા હતા. અને હવે અધિકારીઓ પણ ઈસુની ઠેકડી ઉડાડતા કેતા હતા કે, “એણે બીજાઓને બસાવ્યા; જો ઈ એક ખાલી ગમાડેલો અને પરમેશ્વરનો મસીહ હોય તો ઈ પોતાને બસાવે.”