યોહાનની જળદીક્ષા ક્યાંથી હતી? પરમેશ્વર તરફથી હતી કે, લોકો તરફથી? તઈ તેઓએ મૂંગા મોઢે વિસાર કરીને કીધુ કે, જો આપડે એમ કેહુ કે, પરમેશ્વર તરફથી, તઈ ઈ એમ કેહે કે, તો તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય?
પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.
મે એને ઓળખ્યા નોતા; પણ જેઓએ મને પાણીથી જળદીક્ષા આપવા મોકલ્યો, એણે જ મને કીધું હતું કે, જેની ઉપર તુ આત્માને ઉતરતા અને રેતા જોહે, ઈ જ પવિત્ર આત્માથી જળદીક્ષા આપનાર છે.