Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:51 - કોલી નવો કરાર

51 પછી ઈસુએ એને કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સ્વર્ગ ખુલેલુ અને પરમેશ્વરનાં સ્વર્ગદુતો ઉપર જાતા અને માણસના દીકરા ઉપર સડતો અને ઉતરતો જોહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:51
55 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ હું, માણસનો દીકરો ફરીથી આવય, તો પોતાના મહિમાના બધાય, મારા સ્વર્ગદુતો હારે લયને આવય. તઈ હું બધાય લોકોનો ન્યાય કરવા હાટુ મારા મહિમાના રાજ્યાસન ઉપર બેહય.


હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”


અને ઈસુ જળદીક્ષા લયને પાણીમાંથી ઉપર આવો અને આભ ખુલેલુ અને પરમેશ્વરનો આત્મા કબુતરની પેઠે પોતાની ઉપર ઉતરતો એણે જોયો.


તઈ શેતાન એને છોડીને વયો ગયો, અને સ્વર્ગદુતો આવીને ઈસુની સેવા કરવા લાગ્યા.


તઈ ઈસુએ એને કીધું કે, “શિયાળયાને રેવાનું બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ મને માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”


પણ મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપોની માફી આપવાનો અધિકાર છે. તઈ પછી ઈસુએ લકવાવાળાને કીધું કે, “ઉઠ, તારી પથારી ઉપાડીને તારી ઘરે વયોજા.”


જઈ ઈસુ પાણીમાંથી ઉપર આવ્યો, તો તરત જ એણે આભને ખુલેલુ અને પવિત્ર આત્મા કબુતરની જેમ પોતાની ઉપર ઉતરતા જોયું.


ઈસુએ કીધું કે, “હા હું છું, તમે મને માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ તરફ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”


તઈ અસાનક ઈ સ્વર્ગદુતની હારે બીજા સ્વર્ગદુતોના ટોળાએ પરમેશ્વરની સ્તુતિ કરીને એવુ કેતા દેખાણા કે,


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત તેઓની પાહે આવીને ઉભો રયો, અને પરભુનો મહિમામય અંજવાળું તેઓની આજુ-બાજુ સમકયું, અને તેઓ ઘણાય બીય ગયા.


તઈ આભમાંથી એક સ્વર્ગદુત દેખાણો જે ઈસુને બળ આપતો હતો.


પણ હવે પછી માણસનો દીકરો પરાક્રમી પરમેશ્વરની જમણી બાજુ બેહશે.”


ઈ બાયુ આમ થાવા વિષે હમજી હકી નય, અને ઘુસવણમાં પડી ગયુ તઈ બે માણસ ઉજળા લુગડા પેરેલા દેખાણા, અને તેઓની હામે ઉભેલા જોયા.


જઈ બધાય લોકોને જળદીક્ષા પામી રયા હતાં, અને ઈસુ જળદીક્ષા લયને પ્રાર્થના કરતો હતો, એટલામાં સ્વર્ગ ઉઘડી ગયુ


ઈસુએ એને જવાબ દીધો કે, “મે જે તારાથી કીધું કે, મે તને અંજીરના ઝાડ નીસે જોયો, શું તુ વિશ્વાસ કરે છે? તુ એનાથી પણ મોટા-મોટા કામો જોહે.”


હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય કમાડમાંથી થયને ઘેટાના વાડામાં ઘરતો નથી, પણ બીજી બાજુથી સડીને આવે છે, ઈ સોર કે લુટારો છે.


તઈ ઈસુએ તેઓને પાછુ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, ઘેટાઓનુ કમાડ હું છું,


હું તમને હાસે હાસુ કવ છું કે, ચાકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને સંદેશો લીયાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી.


ઈસુએ જવાબ દીધો કે, “તું મારી હાટુ પોતાનો જીવ દેય? હું તમને હાસે હાસુ કવ છું કે, કુકડો બોલે ઈ પેલા તુ ત્રણ વાર મારો નકાર કરય.”


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ પણ આ કામ કરે જે હું કરું છું, અને એનાથી પણ મોટા કામો કરશે, કેમ કે હું બાપની પાહે જાવ છું


હું તમને હાસે હાસુ કવ છું કે, તમે રોહો અને દુખી થાહો, પણ જગતના લોકો આનંદ કરશે, તમને દુખ થાહે, પણ તમારુ ઘણુય દુખ આનંદમાં બદલાય જાહે.


ઈ દિવસે તમે મને કાક પૂછશો કે, હું તમને હાસે હાસુ કવ છું, જો તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો, ઈ તમને આપે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જઈ તુ જવાન હતો, તઈ પોતે તૈયાર થયને જ્યાં ઈચ્છા હોય ન્યા જાતો. પણ જઈ તુ ગવઢો થય જાય, તઈ તુ પોતાના હાથને ફેલાવય અને કોય બીજો તને તૈયાર કરશે, અને જ્યાં તુ નો જાવા માગે ન્યા ઈ તને લય જાહે.


નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.


જે કાય બાપ જાણે કે, આ ન્યાયી છે ઈ બધુય કરવાનું એણે મને અધિકાર આપ્યો છે, કેમ કે હું માણસનો દીકરો છું


ઈસુએ તેઓને જવાબ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સમત્કારીક નિશાની જોય, ઈ હાટુ તમે મને ગોતતા નથી, પણ તમે રોટલી ખાયને ધરાણા ઈ હાટુ ગોતો છો.


તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ રોટલી મુસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી પણ સ્વર્ગમાંથી જે હાસી રોટલી આવે છે ઈ મારો બાપ તમને આપે છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, “જે વિશ્વાસ કરે છે, એને અનંતકાળનું જીવન છે.


તઈ ઈસુએ તેઓએ કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ખાવું નય એનુ લોહી પીવું નય, તો તમારામાં જીવન નથી.


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય પાપ કરે છે, ઈ પાપનો ચાકર છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય માણસ મારા વચનો પાળે છે, તો એનુ મોત કોય દિ નય થાય.”


ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું”


અને જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતારી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રયું છે.


એણે કીધું કે, “જોવ, મે સ્વર્ગને ખુલેલું, અને માણસના દીકરાને પરમેશ્વરની જમણી હાથ બાજુ માનની જગ્યાએ ઉભેલો જોયો.”


અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.


એવા લોકો પરભુથી અને એના સામર્થની મહિમાથી છેટા થય જાહે. અને પરમેશ્વર એને એવી અનંતકાળની સજા આપશે કે, તેઓ સદાય હાટુ નાશ થય જાહે.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.


આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.


પછી મે સ્વર્ગને ખુલો જોયો, અને જોવ છું કે, એક ધોળો ઘોડો છે અને એની ઉપર એક બેઠેલો છે, જે પરમેશ્વરનો વિશ્વાસ લાયક અને હાસો કેવાય છે, ઈ એની જેમ જે પરમેશ્વરની નજરમાં હાસુ છે, પરમેશ્વરનાં વેરીઓની વિરુધ ન્યાય કરે અને યુદ્ધ કરે છે.


મારી આ બધીય વાતોને જોયા પછી, મે યોહાને સ્વર્ગમા એક ખોલેલો કમાડ જોયો, પછી મે ઈજ પેલો અવાજ બીજીવાર હાંભળ્યો જો કે એક રણશિંગડાના અવાજ જેવો હતો. એણે મને કીધું, “મારી પાહે આયા ઉપર આવ, અને હું ઈ વાતો તને બતાવય, જેને આ વાતો પુરી થાવી જરૂરી છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ