Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:4 - કોલી નવો કરાર

4 એનામા જીવન હતું, અને જીવન માણસોનું અંજવાળું હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:4
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે લોકો અંધકારમાં જીવતા હતાં, તેઓએ મોટુ અંજવાળું જોયું અને ઈ વિસ્તારમાં અને મોતની છાયામાં જેઓ બેઠેલા હતાં એની ઉપર અંજવાળું પરકાશું.


ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.


ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.


ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.


હું જગતમાં અજવાળાની જેમ આવ્યો છું, જેથી જે કોય મારી ઉપર વિશ્વાસ કરે ઈ અંધારામાં નય રેય.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


અને સજાની આજ્ઞાનું કારણ આ છે કે, અંજવાળું જગતમાં આવ્યું છે, પણ લોકોએ અંજવાળા કરતાં અધારાને વધારે ગમાડયુ કેમ કે, તેઓનું કામ ખરાબ હતું.


જેવી રીતે બાપ મરી ગયેલા લોકોને પાછા જીવતા કરે છે, એમ જ દીકરો પણ તેઓને જીવન આપે જેઓને ઈ ઈચ્છે છે.


કેમ કે, જેમ બાપને પોતાનામાં જીવન છે, ઈ જ રીતે દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનો અધિકાર એણે આપ્યો છે.


તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”


જ્યાં લગી હું જગતમાં છું, ન્યા લગી હું જગતનું અંજવાળું છું”


કે મસીહને દુખ ઉપાડવું પડશે, અને ઈ જ બધાયની પેલા મરણમાંથી પાછો જીવતો થયને, યહુદી લોકોમા અને બિનયહુદી લોકોમા તારણનો પરસાર કરશે.


શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પેલો માણસ, એટલે કે, આદમ, જીવતો પ્રાણી બન્યો” અને છેલ્લો આદમ મસીહ છે, જે જીવન આપવાવાળો આત્મા છે.


ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.


મસીહ જે તમને નવું જીવન આપે છે, ઈ જઈ ધરતી ઉપર પાછો આયશે, તઈ તમે પણ એની હારે જોવા મળશો, અને તમે એની મહિમામાં ભાગીદાર થાહો.


આપડે તમને જીવનના વચન વિષે લખી રયા છયી, જે જગતના શરુઆતથી છે જેને અમે હાંભળ્યું છે, અમે પોતાની આંખોથી જોયું છે, અને અમે ધ્યાનથી નિરખુ છે, અને અમે એને અમારા હાથોથી અડયા છયી.


ઈ માણસ જે જીવન આપે છે ઈ પૃથ્વી ઉપર આવ્યો છે, આપડે એને જોયો છે, અને એની વિષે સંદેશો આપી છયી, અને તમને ઈ અનંતકાળના જીવન વિષે બતાવે છે, જે પરમેશ્વર બાપની હારે હતો, અને આપડી ઉપર પરગટ થયુ.


અને ઈ સાક્ષી આ છે કે, પરમેશ્વરે આપણને અનંતકાળનું જીવન આપ્યુ છે, અને ઈ જીવન એના દીકરામાં છે.


તઈ સ્વર્ગદુતે મને એક નદી બતાવી જેમાં જીવનનું પાણી હતું, અને ઈ પાણી કાસની જેવું સોખું હતું, અને આ પાણીનું નીકળવું પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી છે,


“મે, ઈસુએ, પોતાના સ્વર્ગદુતને તમારી પાહે આ વાતોનો પરચાર કરવા હાટુ મોકલ્યો છે કે, જે પરમેશ્વરનાં વિશ્વાસી મંડળીના હોય, હું દાઉદ રાજાનુ મુળ છું, મને પરોઢનો તારો એટલે બધાયથી સમકતો તારો કેવાય છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ