ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ જેને હાજો કરવામા આવ્યો હતો ઈ માણસને કીધું કે, “આજે વિશ્રામવારનો દિવસ છે, અને તુ જાણે છે કે, તારી હાટુ આ પવિત્ર દિવસે પથારી ઉપાડીને હાલવું ઈ આપડા નિયમની વિરુધ છે.”
ઈ કારણે યહુદી લોકોના આગેવાનોએ ઈસુને મારી નાખવાની વધારે કોશિશ કરવા લાગ્યા, કેમ કે ઈ ખાલી વિશ્રામવારના દિવસનો નિયમ તોડતો હતો એટલું જ નય પણ પરમેશ્વરને પોતાનો બાપ કયને એની જાતને પરમેશ્વરની બરોબર છું, ઈ બતાવતો હતો.
યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.
જઈ યોહાન પોતાની સેવા પુરી કરવાનો હતો, તો એણે પુછયું કે, તમે મને શું હમજો છો? હું મસીહ નથી પણ હાંભળો, જે મારી પછી આવનાર છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી.
પાઉલે કીધું કે, “યોહાને ઈ લોકોને જળદીક્ષા દીધી, જેઓએ પાપ કરવાનું મુકી દીધુ, અને પરમેશ્વરની બાજુ વળી ગયા, અને એને પણ આ કીધું કે, એના ઉપર વિશ્વાસ રાખો જે આની પછી આવવા વાળો છે, જે ઈસુ મસીહ છે.”