Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 1:26 - કોલી નવો કરાર

26 જેથી કોય પોતાની જાતને ભગત હમજે છે, પણ પોતાની જીભ ઉપર લગામ નો રાખે, તો ઈ પોતાની જાતને દગો આપે છે અને એની ભગતી નકામી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 1:26
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ મારૂ ખોટુ ભજન કરે છે કેમ કે, તેઓ પોતાના રીતી રીવાજો પરમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.”


તેઓના દ્વારા મારૂ કરવામા આવતું ભજન નકામુ છે કેમ કે, આ લોકોને માણસોએ બનાવેલી આજ્ઞાનું પાલન કરવાનું શિખવાડે છે.


ઈ હાટુ તમે કેવી રીતે હાંભળો છો? ઈ વિષે સેતતા રયો, કેમ કે જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ પણ લય લેવામાં આયશે.”


જો મડદાને જીવતો કરવામાં આવતો નથી, તો આપણે ઈ કયને પરમેશ્વરને પારખ્યો છે કે, એણે મસીહને જીવતો કરયો હતો, પણ ખરેખર એણે એવું કરયુ નય.


પરમેશ્વર તમને ઈ હારા હમાસાર દ્વારા બસાવે છે, જો તમે ઈ હારા હમાસાર ઉપર વિશ્વાસ કરવાનું સાલુ રાખો જેનો મેં તમારી વસે પરચાર કરયો હતો. જો તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દયો તો તમારા વિશ્વાસની કોય કિંમત નથી, ઈ નકામું છે.


ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.


યરુશાલેમની મંડળીના ઈ આગેવાનોએ મારા શિક્ષણમાં કાય પણ નથી જોડયું. મને આ વાતથી કાય ફરક નથી પડતો કે, ઈ આગેવાનો કોણ છે કેમ કે, પરમેશ્વર બારનું રૂપ જોયને ન્યાય નથી કરતો.


જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્‍નતી લોકોની પાહે જાય.


વિશ્વાસુ બન્યા પછી તમે બોવ દુખ ભોગવ્યું. હું હાસીન આશા રાખુ છું કે, આ દુખ નકામાં નોતા.


જો કોય વિસારે છે કે, ઈ એક મોટો માણસ છે, જો કે ખરેખર ઈ નથી, પણ આવું વિસારીને ઈ પોતાને દગો દેય છે.


કોય ભુંડી વાત તમારા મોઢાથી નો નીકળે પણ ઈ વાતોને કેય જે લોકોની હાટુ જરૂરી છે જે એને વિશ્વાસમાં મજબુત બનવામાં મદદ કરે. તઈ જે કાય પણ તમે કેહો તો ઈ તમારા હાંભળનારનું ભલું કરશે.


શરમજનક વાતો કરવી નય, નકામી વાતો કરવી નય, ખરાબ ઠ્ઠઠ્ઠામશ્કરી કરવી નય, ઈ તમારી લાયક નથી, પણ એની જગ્યાએ તમારે પરમેશ્વરનો આભાર માનવો જોયી.


તમે સદાય દયાભાવથી વાતો કરો, અને એવી વાતો ક્યો; જે મનભાવથી હોય જેથી તમને દરેક માણસોને હારી રીતેથી જવાબ દેતા આવડી જાહે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ વાત તમે જાણી લ્યો, દરેક માણસ હાંભળવા હાટુ ઉતાવળો અને બોલવામા ધીરો અને ગુસ્સો કરવામા ધીમો રેય.


પરમેશ્વરનાં વચનને ખાલી હાંભળનારા બનીને પોતાની જાતને દગો નો આપો, પણ વચનને માનનારા બનો.


પણ હે મૂરખ માણસ, તુ ખરેખર આ નથી ઈચ્છતો કે, હું તને આ સાબિત કરું કે, ભલા કામો કરયા વગર વિશ્વાસ નકામો છે.


કેમ કે, જો કોય માણસ પોતાના જીવનનો આનંદ લેવા ઈચ્છે છે, અને હારા દિવસો ઈચ્છે છે, તો એને સેતીને રેવું જોયી કે, ઈ ખરાબ વાતુ નો કેય, અને એને આવી વાતુ કરવાનું બંધ કરી દેવું જોયી, જે હાસી નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ