25 પ્રમુખ યાજક વરહમાં એકવાર મહાપવિત્ર જગ્યામાં જનાવરોનું લોય લોહીને બલિદાન કરવા હાટુ જાય છે, પણ મસીહ એની જેમ વારે ધડીએ પોતાની જાતને બલિદાન કરવા હાટુ સ્વર્ગમાં નથી ગયો.
મસીહ બધાય હાટુ ખાલી એક જ વાર સદાય હાટુ મહાપવિત્ર જગ્યામાં ગ્યા, એણે પોતાની હારે બલિદાન કરવા હાટુ બકરા, અને વાછડાનું લોહી લય નો ગ્યા, પણ ઈ બલિદાન કરવા હાટુ પોતાનું જ લોહી લય ગ્યા, અને એની દ્વારા આપડે સદાય હાટુ છુટકારો મળ્યો.
તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.
આ ભેગા કરવાવાળા મંડપો અને ઈ મંડપની વસમાં, તેઓએ એક પડદો બાધી દીધો અને બે ઓરડાઓ બનાવી દીધા. પેલા ઓરડામાં એક ધુપદાન હતું જેમાં હાત શાખાઓ હતી. ન્યા એક બાજોઠ હતું, જેની ઉપર પરમેશ્વરને સડાવાની રોટલી મુકવામાં આવતી હતી, અને આ ઓરડાને પવિત્રસ્થાન કેવામાં આવતું હતું.
જો આવું થાય તો મસીહએ જગત બનવાની શરૂવાતથીજ ઘણી બધીય વાર દુખ સહન કરવાની જરૂરિયાત ઉભી થાય; પણ હવે છેલ્લા વખતમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા હાટુ તેઓ એક જ વખત પરગટ થયા.
પણ માંડવાના બીજા ઓરડામાં ખાલી પ્રમુખ યાજક વરહમાં એકવાર જાય છે, જઈ ઈ અંદર જાતો હોય તઈ તે સદાય જનાવરોના લોહીને લયને જાતો હતો, કે ઈ પોતાના અને લોકોની હાટુ પરમેશ્વરને અર્પણ સડાવતો હતો.