Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 7:26 - કોલી નવો કરાર

26 કેમ કે, ઈસુની જેવા પ્રમુખ યાજકની આપડે જરૂર હતી, ઈ પવિત્ર, દોષ વગરના, પાપીઓથી નોખા છે, અને જેઓ સ્વર્ગમાંથી ઉસા કરવામાં આવ્યા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 7:26
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ઈ જાણતો હતો કે, તેઓએ ઈર્ષાના કારણે ઈસુને પકડાવી દીધો છે.


જઈ પરભુ ઈસુ ચેલાઓને આ બધીય વાતો કરી દીધી, તો પરમેશ્વરે એને સ્વર્ગમા લય લીધો અને ઈ પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ બેહી ગયો.


સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.


રાજ્યપાલ પિલાતે ત્રીજીવાર તેઓને કીધું કે, “શું એણે ગુનો કરયો છે? મને એમા મોતની સજા આપવા લાયક કાય દેખાતું નથી. ઈ હાટુ હું એને ફટકા મરાવીને છોડી દવ છું”


અને આપડે તો ન્યાય પરમાણે સજા મળી છે, કેમ કે આપડે આપડા કામો પરમાણે સજા મળી છે, પણ એણે તો કોય પણ ખોટુ કામ કરયુ નથી.”


જમાદારે ન્યા જે જે થયુ, ઈ જોયને એણે પરમેશ્વરની મહીમા કરીને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”


તમે ખરેખર આ જાણ્યું હશે કે, આ જરૂરી હતું કે, મસીહ હાટુ આ બધીય વાતોમાં દુખ ઉઠાવીને મરવું પડશે, અને પછી એના મહિમાવાન સ્વર્ગીય ઘરમાં જાહે.”


અને ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “શાસ્ત્રોમાં આ લખેલુ છે કે, મસીહને દુખ સહન કરવુ, અને ત્રીજા દિવસે મરણમાંથી પાછુ જીવતું થાવું,


મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી.


અને મને મોકલનારો મારી હારે છે, એણે મને એકલો નથી મુકયો, કેમ કે હું સદાય ઈજ કરું છું, જેનાથી ઈ રાજી થાય છે.”


તમે એક પવિત્ર અને ધાર્મિક માણસનો નકાર કરયો છે, પણ એક હત્યારાને મુકવા માંગ્યો.


હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


કેમ કે, બધી વસ્તુઓને બનાવનાર અને હાસવી રાખનાર પરમેશ્વરને ઈ બોવ ઓછુ હતું કે, ઈ તેઓના ઘણાય લોકોને પોતાની મહિમાના ભાગીદાર બનાવે ઈ લોકોનું તારણ પરભુ ઈસુના દુખ દ્વારા પુરે પુરૂ કરે.


ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.


લેવીઓના મુખ્ય યાજકોના પદની આધારે ઈઝરાયલનાં લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીએ મુખ્ય યાજકોના કામો ખામી વગરના નો હોત, તો આ હારુનના મુખ્ય યાજકોના કુળ પરમાણે નય, પણ મેલ્ખીસેદેકના મુખ્ય યાજકોના કુળ પરમાણે બીજા પરકારના મુખ્ય યાજકોની જરૂર પડી નો હોત.


હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.


તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.


એની બદલે, પરમેશ્વરે તમને મસીહનાં કિંમતી લોહીથી વેસાતી લીધા. જે એના દેહમાંથી વહયું જઈ ઈ મરી ગયો. મસીહ ઘેટાના બસ્સા જેવો હતો. જે યહુદી યાજકોએ અર્પણ કરયો; એકદમ નિષ્કલંક, કોય દોષ કે ડાઘ વગરનો


યાદ રાખો કે, કેમ મસીહે પોતાનુ સંસાલન કરયુ, એણે કોય દિ પાપ નથી કરયુ, અને એણે ક્યારેય લોકોને દગો દેવા હાટુ કાય નથી કીધું.


મસીહ પરમેશ્વરનાં જમણા હાથ ઉપર છે ઈ સ્વર્ગમા ગયો. સ્વર્ગદુતો અને અધિકારીઓ અને બધીય સત્તાઓ એની આધીન છે.


પરમેશ્વરથી આપડા પાપોને માફ કરવા હાટુ, ઈસુ મસીહ એક બલિદાન થય ગયો, અને ફક્ત આપડી જ હાટુ નય પણ આખા જગતના લોકોના પાપોની માફી હાટુ પણ બલિદાન થયો.


અને તમે જાણો છો કે, ઈસુ મસીહ ઈ હાટુ આવ્યો કે, આપડા પાપોની સજા લય જાહે, અને એમા કોય પાપ નથી.


ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ